અદાણી વિદ્યામંદિરના વત્સલની વિક્રમી સફળતા, CATની પરીક્ષા ક્રેક કરી
સખત મહેતન, દૃઢ નિસ્ચય અને યોગ્ય તકના જોરે ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. અદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA)ના વત્સલ ગુપ્તા તેનું જીવંત ઉદાહરણ છે. એક રત્ન કલાકારના દિકરા વત્સલે તાજેતરની CATની પરીક્ષા ક્રેક કરી અદભૂત સફળતા હાંસલ કરી છે. વત્સલે CAT માં 99.51 પર્સન્ટાઇલ, CMAT (લોજિકલ રિઝનિંગ) માં 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. અદાણી વિદ્યામંદિર વત્સલને શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન આપતા ગર્વ અનુભવે છે.
AVMAનો વત્સલ હવે IIM રોહતકનો ગૌરવશાળી વિદ્યાર્થી છે. વિદ્યામંદિરના ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવવાની એ યાદગાર ક્ષણો આજેપણ તેની સ્મૃતિમાં યાદગાર છે. અહીં તેને વિશ્વાસ, માર્ગદર્શન અને જીવનનું નવું ધ્યેય મળ્યું. શૈક્ષણિક ક્ષેત્રમાં તમામ પડકારો પાર કરતા શ્રેષ્ઠ પ્રદર્શન થકી તેણે BBA પૂર્ણ કર્યું. જો કે, તેના મુઠ્ઠી ઉંચેરા સ્વપ્નો કંઈક અલગ જ હતા. તેણે IIM માં પ્રવેશ લેવાનું મન બનાવી લીધુ હતું.
આખરે તેની મહેનત રંગ લાવી અને CATની પરીક્ષાઓમાં 99.51 પર્સન્ટાઇલ, CMAT (લોજિકલ રિઝનિંગ) માં 100 પર્સન્ટાઇલ સાથે વત્સલે જવલંત સફળતા હાંસલ કરી. અદાણી વિદ્યામંદિર વત્સલની સફરમાં પાયાનો પથ્થર છે, શરૂઆતના વર્ષોને યાદ કરતા વત્સલ જણાવે છે કે, "AVM એ મને પુસ્તકીયા જ્ઞાન કરતાં વધુ આપ્યું - તેણે મને એક નવી દ્રષ્ટિ આપી, જેના પરિણામે મારા વિચારોને નવી દિશાઓ મળી."
વત્સલ અદાણી વિદ્યામંદિર તરફની મળનારી શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન બદલ ગર્વ અનુભવે છે. AVM થી લઈને IIM રોહતકના પ્રતિષ્ઠિત હોલ સુધીની વત્સલની સફર અસંખ્ય વિદ્યાર્થીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી રહી છે. વત્સલ જણાવે છે કે, “IIM રોહતકમાં પ્રવેશ મેળવવો તે સરળ નહોતું, પરંતુ ક્યાંક શાળાના ભરપૂર સમર્થન અને માર્ગદર્શનના પરિણામે ઉચ્ચ લક્ષ્ય રાખી પ્રાપ્ત કરવાની હિંમત મળી. અદાણી વિદ્યામંદિર મારા માટે હંમેશા ખાસ રહેશે”.
2025 માં CBSE પરીક્ષામાં 100% પરિણામો અને ઉચ્ચ NABET સ્કોર સાથે ભારતની ટોચની સંસ્થાઓમાં સ્થાન મેળવનાર AVMA જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચેમ્પિયન બનાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અહીં વિદ્યાર્થીઓને મફત, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગેની તાલીમ અને માર્ગદર્શન મળે છે.