હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!

05:57 PM May 14, 2025 IST | revoi editor
Advertisement

અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) સતત અવનવા કિર્તીમાન હાંસલ કરવામાં અગ્રેસર રહ્યું છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) મૂલ્યાંકનમાં AVMA ટોપ રેટીંગ ધરાવતી શાળાઓમાં AVMA ઉચ્ચ ક્રમે ઉભરી આવ્યું છે. અદાણી વિદ્યામંદિરે કુલ 250 માંથી 232 નો ઉત્કૃષ્ટ સ્કોર હાંસલ કર્યો છે. વળી તાજેતરમાં આવેલા ધો.10-12 CBSE બોર્ડમાં વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ છે.

Advertisement

દેશની ટોચની રેટિંગ ધરાવતી શાળાઓમાં AVMA એ ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરતા  છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ અને સતત સુધારણા પ્રત્યે AVMA ની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. NABET માન્યતા ગુણવત્તા ધોરણોના કડક માળખામાં શાળાઓનું મૂલ્યાંકન કરે છે, જેમાં અભ્યાસક્રમ વિતરણ, શાળા નેતૃત્વ, માળખાગત સુવિધાઓ, નવીનતા અને સમાવેશનો સમાવેશ થાય છે.

Advertisement

અદાણી વિદ્યામંદિર ખાતે સમાવેશી શિક્ષણ વિદ્યાર્થીઓને ચમકવાનો મોકળો માર્ગ આપે છે. QCI હેઠળ રાષ્ટ્રીય સ્તરે સર્વોત્તમ ગુણાંક મેળવી AVMA એ નીતિશાસ્ત્ર, સમાનતા અને સશક્તિકરણમાં મજબૂત પાયા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ અનોખી સિદ્ધિ સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ, સમર્પિત શિક્ષકો અને સ્થિતિસ્થાપક વિદ્યાર્થીઓનો પુરાવો છે. જે ભવિષ્ય માટે સામાજિક રીતે જવાબદાર વૈશ્વિક નાગરિકોને ઉછેરવાના શાળાના મિશનને મૂર્તિમંત બનાવે છે.

તાજેતરમાં આવેલા બોર્ડના પરિણામોમાં વિદ્યામંદિરના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 100 ટકા પરિણામ મેળવ્યું છે. વાર્ષિક 1000 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA છેલ્લા 3 વર્ષથી STEM માટે NIE સિંગાપોર સાથે સહયોગ કરી રહી છે. શાળાએ તમામ 17 UNSDG ને કાર્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડ્યા છે.  

મૂલ્યાંકન કરતી વેળાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકલ્પોની ડિઝાઈન, શિક્ષકો દ્વારા એક્શન રિસર્ચ, કેમ્પસ કાર્યક્રમો અને તેમાં વિદ્યાર્થીઓનું જોડાણ, ક્રેડિટ પોઈન્ટ સિસ્ટમ થકી સ્વ-શિસ્ત અને સકારાત્મક વર્તન, રિસ્ક રજિસ્ટર વગેરે બાબતોનું બારીકીથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article