For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આણંદ-સોજીત્રા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

05:21 PM Jun 06, 2025 IST | revoi editor
આણંદ સોજીત્રા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત
Advertisement
  • વલાસણા ગામ નજીક યુ ટર્ન લેતા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો,
  • વિરોલ ગામનો યુવાન કોલેજમાં પ્રવેશ લેવા માટે વિદ્યાનગર આવ્યો હતો,
  • પોલીસે અક્સામતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આણંદ-સોજીત્રા રોડ પર વલાસણ ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માત સર્જનારા બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સોજીત્રાના વિરોલ ગામના અક્ષયકુમાર જયેન્દ્રભાઈ પરમારના પિતરાઈ ભાઈ રોનકને વિદ્યાનગરની કોલેજમાં એડમિશન લેવાનું હોવાથી અક્ષય અને રોનક બંને પિતરાઈ ભાઈઓ બે અલગ અલગ બાઈક ઉપર નીકળ્યા હતા. અને બપોરે વિદ્યાનગરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે વલાસલ રોડ ઉપર શિવમ સ્કૂલ નજીક આગળ જઈ રહેલા બાઈક ચાલકે પૂરઝડપે અચાનક યુ-ટર્ન લેતા અક્ષયનું બાઈક તેની સાથે અથડાયું હતું. જેમાં અક્ષય બાઈક ઉપરથી નીચે પટકાતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી.  અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકોએ જાણ કરતાં 108 મારફતે અક્ષયને કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કાપી હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે તુષારકુમાર પરમારની ફરિયાદના આધારે અન્ય બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement