For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે, સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

03:35 PM Sep 09, 2025 IST | revoi editor
અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે  સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ
Advertisement

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં આ વર્ષની દીપોત્સવ ઉજવણી વિશ્વ રેકોર્ડ તોડવા તૈયાર છે. પર્યટન વિભાગ દ્વારા સરયુ કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટો પર લાખો દીયા પ્રગટાવી અદભૂત દૃશ્ય સર્જવામાં આવશે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે, 2017થી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવાય છે અને આ પરંપરા જાળવતા આ વર્ષે પણ કાર્યક્રમને વિશાળ સ્વરૂપ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ વખતે 26 લાખથી વધુ દીયા પ્રગટાવી ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે.

Advertisement

સરયુ નદી પર અત્યાર સુધીનું સૌથી મોટું આરતી સમારોહ યોજાશે, જેમાં 1,100થી વધુ ધર્માચાર્ય, સંત-મહાત્મા અને સ્થાનિક નાગરિકો હાજરી આપશે. દીપોત્સવ પહેલા ત્રણ દિવસથી સ્થળ પર તૈયારી શરૂ થઈ જશે અને ગિનેઝના માપદંડોને અનુરૂપ ડિઝાઇન તથા આયોજન કરવામાં આવશે. ગિનેઝ વર્લ્ડ રેકોર્ડને સિદ્ધ કરવા વિદ્યાર્થી સ્વયંસેવકો દીયાની સજાવટ, દીયા પ્રગટાવવાની પ્રક્રિયા, ગણતરી અને ચકાસણીમાં સહયોગ આપશે. આ માટે પર્યટન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, અવધ યુનિવર્સિટી તથા અન્ય સંસ્થાઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.

પર્યટન અને સંસ્કૃતિના મુખ્ય સચિવ મુકેશકુમાર મેશ્રામે જણાવ્યું કે, “દીપોત્સવ અમારી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓનું પ્રતિબિંબ છે. આ વર્ષે અયોધ્યાનો દીપોત્સવ અગાઉના વર્ષોથી વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે.”

Advertisement

Advertisement
Tags :
Advertisement