For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેવઉઠી એકાદશી નિમિત્તે અયોધ્યામાં પંચકોષી પરિક્રમામાં ઉમટી ભક્તોની ભારે ભીડ

03:23 PM Nov 01, 2025 IST | revoi editor
દેવઉઠી એકાદશી નિમિત્તે અયોધ્યામાં પંચકોષી પરિક્રમામાં ઉમટી ભક્તોની ભારે ભીડ
Advertisement

અયોધ્યા પવિત્ર કાર્તિક મહિનાની દેવઉઠી એકાદશીના અવસરે આજે રામનગરી અયોધ્યામાં ભક્તિ અને આસ્થાનો અનોખો મેળો જોવા મળ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ શરૂ થયેલી પંચકોષી પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 15 કિલોમીટર લાંબી આ પરિક્રમા યાત્રા રાત્રીના બે વાગ્યે પૂરી થશે. સમગ્ર અયોધ્યા ‘જય શ્રીરામ’ના ઉલ્લાસભેર નાદથી ગુંજી ઉઠી હતી.

Advertisement

દેવઉઠી એકાદશીના દિવસે શરૂ થતી પંચકોષી પરિક્રમાને હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ પરિક્રમા કરવાથી જન્મોજન્મના પાપો દૂર થાય છે અને ભક્તને મોક્ષપ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. માર્ગ દરમિયાન ભક્તો કનકભવન, હનુમાનગઢી અને શ્રીરામ જન્મભૂમિ સહિતના મુખ્ય મંદિરોના દર્શન કરે છે. વિદ્વાનો કહે છે કે ભગવાન શ્રીરામની કૃપા મેળવવાનો આ ઉત્તમ માર્ગ છે.

મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યોમાંથી ભક્તો અયોધ્યામાં પહોંચ્યા છે. શહેરના દરેક ખૂણે ભજન-કીર્તન, રામનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભક્તિમય આ માહોલમાં રામનગરીનું દરેક માર્ગ ધર્મ અને ભક્તિની સુગંધથી માથી રહ્યો છે. આ વર્ષે દસ લાખથી વધુ ભક્તો પરિક્રમામાં જોડાશે એવી ધારણા છે.

Advertisement

મોટી સંખ્યામાં ભક્તોની હાજરીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને પ્રશાસને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરિક્રમા માર્ગ પર પોલીસ દળો સાથે એ.ટી.એસ. કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ભીડની દેખરેખ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય શિબિરો, પીવાના પાણીની સુવિધા, શૌચાલય અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી યાત્રા નિરાંતે પૂર્ણ થઈ શકે.

Advertisement
Tags :
Advertisement