રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 11 લોકોના મોત
11:23 AM Aug 13, 2025 IST | revoi editor
Advertisement
જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દૌસા-મનોહરપુર હાઇવે પર બાસડી ક્રોસિંગ પાસે બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિક-અપ ટ્રક અન્ય વાહન સાથે અથડાઈ હતી.
Advertisement
મૃતકોમાં મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી હતા. તેઓ સીકર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
દૌસા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 લોકોને તાત્કાલિક સારવાર માટે જયપુરની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 ઘાયલોને દૌસાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
Advertisement
Advertisement