હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાત સરકારે 9 આઈએએસ અધિકારીઓની કરી બદલી, 4ને વધારાનો ચાર્જ અપાયો

04:23 PM Jun 18, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત સરકારે  નવ આઈએએસ  અધિકારીની બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં રાજકોટના કલેકટર તેમજ જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત સરકારે ગઈ મોડી સાંજે 9 આઈએએસની બદલીઓ કરી છે. જેમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે. જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જીએસપીએસના એમડી મિલિન્દ તોરવમેની પંચાયત, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. તોરવણે પાસે કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ રહેશે.GSPCના MD તરીકેનો પણ વધારાનો ચાર્જ યથાવત રહેશે. રાજકોટ કલેકટર પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના MD તરીકે બદલી કરવામાં આવી છે. તેજસ પરમાર  MGVCLના MD તરીકે કાર્યરત હતા જેઓની જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ઓમપ્રકાશ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. હવે તેઓને રાજકોટ કલેકટર બનાવાયા છે.

Advertisement

પંચમહાલ-ગોધરાના કલેકટર આશિષ કુમારની ટ્રાઈબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતના CEO તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.

ડાંગ આહવાના DDO  સુથાર રાજ રમેશચંદ્રની બદલી કરીને નર્મદાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે. નર્મદાના જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની બદલી કરી જામનગરના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.

જે  ચાર અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે જેમાં . અન્ન નાગરિક અને પુરવઠા વિભાગના અગ્ર સચિવ રમેશ ચંદ મીણાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તથા  નાણા વિભાગ(ઈકોનોમિક અફેર્સ)ના સચિવ આરંતી કંવરને નઆમા વિભાગના (એક્સપેન્ડીચર)નો વધારાનો ચાર્જ સોંપાયો છે. તેમજ  સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન જેનુ દેવનને MGVCLના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે  ડાંગ આહવા ટ્રાઈબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પાટીલ આનંદ અશોકને ડાંગ-આહવાના DDO તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

Advertisement
Tags :
4 given additional charge9 IAS officers transferredAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article