હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતના 80 જળાશયો 100 ટકા છલકાયાં, 108 ડેમ હાઈ એલર્ટ પર

09:21 PM Sep 01, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ  મધ્ય પ્રદેશમાં ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરની જલસપાટી 454.98 ફુટે પહોંચતા ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને વટાવી ગયું હતું, જોકે સરદાર સરોવર ડેમના ખોલાયેલા 15 દરવાજામાંથી 5 દરવાજા બંધ કરવામાં આવતા ગોલ્ડન બ્રિજની જળ સપાટી સ્થિર બની છે.  દરમિયાન હાલ ગુજરાતના 80 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા છે.

Advertisement

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 15 ગેટમાંથી  છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને વટાવી ગયું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. જો કે સરદાર સરોવરના 15માંથી 5 દરવાજા બંધ કરાતા નર્મદા નદીમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ 10 ગેટમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે  સવા 19 ફૂટ પર ગોલ્ડન બ્રિજ પર સપાટી બપોરથી સ્થિર રહ્યા બાદ સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
100 percent overflowed80 reservoirsAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article