હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 6નાં મોત

05:17 PM Apr 17, 2025 IST | revoi editor
Advertisement

પાટણઃ સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ રાધનપુરથી રિક્ષામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને એસટી બસ નીચે દબાયેલા મૃતદેહોને કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સમી-રાધનપુર હાઈવે પર સમીના ગોચનાદ નજીક  એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. તેથી રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.  રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કોફલો દોડી આવ્યો હતો, અને ક્રેઈનની મદદથી એસટી બસ નીચે દબાયેલા મૃતદેહો બહાર કાઢ્યા હતા. અને તમામ મૃતદેહો રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવાયા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા

રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. 108ને બોલાવવામાં આવી છે. લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા. આ એક કરૂણ ઘટના છે.

Advertisement

આ અકસ્માતમાં ભોગ બનેલા વાદી સમાજના છ વ્યક્તિઓના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. મોતને ભટેલા તમામની લાશોને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેના પગલે હોસ્પિટલમાં પ્રાંગણમાં વાદી સમાજના લોકોની ભીડ ઉમટી હતી. આ ઘટના માત્ર વાદી પરિવારના માટે જ નહીં, પરંતુ સમગ્ર વાદી સમાજ માટે આંચકારૂપ ઘટના છે. સમાજના લોકો એકબીજાને સહારો આપી રહ્યા છે અને આ દુઃખદ સમયમાં એકતા દર્શાવી રહ્યા છે.

Advertisement
Tags :
6 deadAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSami-Radhanpur highwayST bus-rickshaw accidentTaja Samacharviral news
Advertisement
Next Article