For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા

01:31 PM Nov 24, 2025 IST | revoi editor
નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા
Advertisement

નવી દિલ્હી: નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલમાંથી બંદૂકની અણીએ 300 થી વધુ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેમાંથી 50 બાળકો અપહરણકર્તાઓથી બચીને ભાગી ગયા છે, એક ખ્રિસ્તી જૂથે માહિતી શેર કરી.

Advertisement

નાઇજર રાજ્યમાં સેન્ટ મેરીની સહ-શૈક્ષણિક શાળા પર શુક્રવારે અપહરણકારોએ હુમલો કર્યો, જેમાં આશરે 303 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું. એ જ રીતે, ગયા સોમવારે નાઇજીરીયાના કેબી પ્રાંતમાં 25 માધ્યમિક શાળાની છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.

હુમલાખોરોએ મંગળવારે ક્વારા રાજ્યમાં એક ચર્ચ પર પણ હુમલો કર્યો હતો, જેનું ઓનલાઇન લાઇવ પ્રસારણ થઈ રહ્યું હતું, જેના કારણે અંદર નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારની વચ્ચે, બધે ચીસો અને રુદન સંભળાયા. લોકોમાં ગભરાટ ફેલાયો. જોકે, બાળકોના પાછા ફરવાથી થોડી રાહત થઈ છે.

Advertisement

રાષ્ટ્રપતિએ પણ સમર્થન આપ્યું
નાઇજીરીયાના ખ્રિસ્તી સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આજે અમને સારા સમાચાર મળ્યા છે. 50 વિદ્યાર્થીઓ અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છટકી ગયા છે અને તેમના માતાપિતા પાસે પાછા ફર્યા છે,"

તમને જણાવી દઈએ કે અપહરણકર્તાઓ દ્વારા અપહરણ કરાયેલા બાળકોની ઉંમર 8-18 વર્ષની વચ્ચે છે, જેમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ પણ પોસ્ટ શેર કરતા કહ્યું કે, "કેથોલિક સ્કૂલના ગુમ થયેલા 51 વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા છે."

Advertisement
Tags :
Advertisement