હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ચેનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

10:13 AM May 11, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના જવાબી ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન સામે ફરી એકવાર વોટર સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી છે. ભારતે રાજદ્વારી અને લશ્કરી દબાણ જાળવી રાખવાની સાથે ચિનાબ નદી પરના સલાલ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેના કારણે પાકિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

સવારે 6:15 વાગ્યે, જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં સ્થિત સલાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા પણ બગલીહાર ડેમના બે દરવાજા અને સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણી છોડ્યા પછી, શનિવારે, ચિનાબનું પાણીનું સ્તર રિયાસી, તલવારા, કાંસીપટ્ટા, જેડી, ડેરા બાબાના નીચલા વિસ્તારોથી અખનૂરના ગ્રામીણ વિસ્તારો સુધી 22 ફૂટથી ઉપર પહોંચી ગયું હતું.

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. જે બાદ જેલમ નદી સહિતના પાણી રોકવામાં આવ્યું હતું. જેથી પાકિસ્તાન દ્વારા ભારતને ધમકી આપવામાં આવી હતી. હવે ચેનાબ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article