તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના 27 ઉપપ્રમુખો અને 69 મહાસચિવોની નિમણૂંક કરાઈ
હૈદરાબાદઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઉપપ્રમુખો અને મહાસચિવોની નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપતા એઆઈસીસીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોમવારે રાત્રે યાદી જાહેર કરી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) એ સોમવારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી)ના 27 ઉપપ્રમુખો અને 69 મહાસચિવોની જાહેરાત કરી છે. આ નિમણૂકો છેલ્લા છ મહિનાથી પેન્ડિંગ હતી.
એઆઈસીસી દ્વારા ટીપીસીસીની પાંચ સમિતિઓની નિમણૂક કર્યાના થોડા દિવસો પછી આ યાદી આવી છે. કેટલાક સાંસદો, ધારાસભ્યો અને એમએલસીઓ ઉપપ્રમુખો તરીકે નિમણૂક પામ્યા છે. નાલગોંડા મતવિસ્તારના સાંસદ કે. રઘુવીર રેડ્ડીને ઉપપ્રમુખ તરીકે નામ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય નૈની રાજેન્દ્ર રેડ્ડી અને ડૉ. ચિક્કુડુ વંશી કિર્હસ્ના અને એમએલસી બાલમૂર વેંકટ અને બસવરાજુ સરૈયાને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એઆઈસીસી સભ્ય અને વર્તમાન ટીપીસીસીના મહાસચિવ કોટા નીલિમાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા છે.
અન્ય વાઇસ પ્રેસિડેન્ટમાં ટી. કુમાર રાવ, હનુમંડલા ઝાંસી રેડ્ડી, બંડી રમેશ, કોન્દ્રુ પુષ્પલીલા, બી. કૈલાશ કુમાર, નમિન્દલા શ્રીનિવાસ, આથરામ સુગુણા, ગલી અનિલ કુમાર, ચિટલા સત્યનારાયણ, લકવથ ધનવંતી, એમ. વેણુ ગૌડ, કોટીમ રેડ્ડી, એમ. ફહીમ, એસ. સુરેશ કુમાર, બોન્ટુ રામમોહન, અફસર યુસુફ ઝાહી, એસ. જગદીશ્વર રાવ, નવાબ મુજાહિદ આલમ ખાન, ગુમ્માલા મોહન રેડ્ડી અને ચિન્નાપતલા સંગમેશ્વરાને નિયુક્ત કરાયા છે.
કોંગ્રેસે નિમણૂંકોમાં પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓને યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું છે. જે ધારાસભ્ય વેદમા બોજ્જુ, પરણિકા રેડ્ડી અને મત્તા રાગમાયા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા 69 મહાસચિવોમાં સામેલ છે. રાજ્ય કેબિનેટના વિસ્તરણના એક દિવસ બાદ આ નિમણૂકો કરવામાં આવી હતી, જેમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જી વિવેક વેંકટસ્વામી, અદલુરી લક્ષ્મણ કુમાર અને વક્તિ શ્રીહરિએ મંત્રી તરીકે શપથ લીધા.
આ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ હતું, જે 7 ડિસેમ્બર, 2023ના રોજ મુખ્યમંત્રી અને 11 મંત્રીઓના શપથ ગ્રહણ સાથે રચાયું હતું. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ત્રણ મંત્રીઓના નામોને મંજૂરી આપ્યા પછી લાંબા સમયથી પડતર વિસ્તરણ થયું. મંત્રીમંડળમાં ખાલી જગ્યાઓ હોવા છતાં, પાર્ટી નેતૃત્વએ ત્રણ પદ ખાલી રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 18 મંત્રીઓ હોઈ શકે છે.