For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

05:12 PM Jun 29, 2025 IST | revoi editor
ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા  સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
Advertisement
  • રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર,
  • નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,
  • 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું.

Advertisement

ગુજરાતભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. અને છેલ્લા બે દિવસથી તો આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નથી. રાજયામાં સારા વરસાદને લીધે તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 54032 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થઈ છે.. હાલમાં નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે.  પાણી આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ થયા હતા. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થઈ હતી. નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ , ગુજરાતના જે જળાશયો 100 ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બગડ, બોટાદના ગોમા-ભીમડાદ, દાહોદના કાલી-2, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભોગાવો  1-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે 31 જળાશયો 70 ટકાથી 100 ટકા, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા, 59 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 68 જળાશયોમાં 25 ટકાથી ઓછું છે.  રિજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી 1-1 જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 16,4650 મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.28 ટકા જેટલી છે.

Advertisement

અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ 2024માં 28 જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74 ટકા વરસાદ પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement