વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13.40 કરોડ ખેડૂતોને આવરી લેવાયાઃ શિવરાજ સિંહ
11:29 AM Jun 19, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા.
Advertisement
આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં આદિવાસી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું.
શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, સરકારનું પ્રાથમિક ધ્યાન ખેડૂતોની આવક વધારવાનું અને ભારતને વિશ્વ માટેનું ‘ફુડ બાસ્કેટ’ બનાવવાનું છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન અટકશે નહીં અને ખેડૂતોની સમસ્યાનાં નિરાકરણ માટે વૈજ્ઞાનિકો ખેતરની મુલાકાત લેતા રહેશે.
Advertisement
Advertisement
Next Article