For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુઓના મોત

05:27 PM Nov 01, 2025 IST | revoi editor
આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ  10 શ્રદ્ધાળુઓના મોત
Advertisement

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા મંદિરમાં ભાગદોડમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. આજે એકાદશીના દિવસે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Advertisement

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાળુઓના મૃત્યુને "હૃદયદ્રાવક" ગણાવ્યું.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, "શ્રીકાકુલમ જિલ્લામાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં શ્રદ્ધાળુઓના મોતનું ખૂબ જ દુઃખ છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."

તેમણે એમ પણ કહ્યું કે તેમણે અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે અને અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને ભાગદોડ સ્થળ પર રાહત કાર્ય પર નજર રાખવા સૂચના આપી છે.

Advertisement

કાસીબુગ્ગા સબ-ડિવિઝનલ ઇન્ચાર્જ ડીએસપી લક્ષ્મણ રાવે પીટીઆઈને જણાવ્યું હતું કે વેંકટેશ્વર મંદિરમાં સવારે 11:30 વાગ્યે ભાગદોડ મચી હતી. ભાગદોડમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે.

Advertisement
Tags :
Advertisement